Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

મનોહર પરિકરને ફરી મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં પેનક્રિયાસની બીમારી માટે દાખલ કરાયા : જરૂર પડ્યે અમેરિકા લાઇ જવાશે

ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરને ફરી આજે મોડીસાંજે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં પેનક્રિયાસ અંગેની બીમારી માટે સારવાર આપવા લઈ જવામાં આવશે. તેમની ગેરહાજરીમાં ત્રણ સભ્યોની કમિટી મુખ્યમંત્રીના કામકાજની દેખભાળ કરશે. જરૂર પડશે તો મુખ્યમંત્રી મનોહર પર્રકરને અમેરિકા પણ લઈ જવામાં આવશે. તેમને પેન્ક્રીયાસના હળવા સોજા માટે સારવાર આપવામાં આવી રહી છે. આ પહેલા પણ લીલાવતી હોસ્પિટલમાં ૧૫ ફેબ્રુઆરીએ પરીકરને દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ ગોવા ખાતે અંદાજપત્ર રજૂ કરવા માટે તેઓ આવ્યા હતા. મનોહર પારિકરને હાલમાં પેનક્રિયાઝના હળવા સોજા માટે સારવાર આપવામાં આવી રહી છે. તસવીરમાં આજે ઉચ્ચ અધિકારીઓને પોતાની ગેરહાજરીમાં કામકાજ અંગે સુચનાઓ આપી રહેલા મનોહર પરિકર જણાય છે, તેમના પગમાં સોજા સ્પષ્ટ નજરે પડે છે.

(6:23 pm IST)