Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

દિલ્લીમાં આપ માટે એનઆરઆઇ જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે

         દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) માટે સ્થાનિક લોકો  જ નહિ પણ મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીય પણ પ્રચાર કરી રહ્યા છે. એમનું માનવું છે કે પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલ શહેરમાં બદલાવ લાવશે. સેંકડો એનઆરઆઇ શહેરમાં આપના પ્રચાર માટે સડકો પર ઉતરી આવ્યા છે.

         આઇએએનએસ થી વાત કરતા 'આપ'ના વિદેશ પ્રકોષ્ઠના સંયોજક પૃથ્વી રેડીએ કહ્યું કે પ૦૦ એનઆરઆઇ દિલ્લીમાં છે જે પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. એમણે કહ્યું કે એનઆરઆઇ પાર્ટીમા પ્રચારનો હિસ્સો લઇ રહ્યા છે.  અને આપ માટે મત માગી રહ્યા છે. સ્વયંસેવકોની વ્યવસ્થા કરે છે અને પાર્ટી  માટે દરેક પ્રકારનુ કાર્ય કરે છે એમણે કહ્યું  ઘણા એનઆરઆઇ છેલ્લા બે ત્રણ મહિનાથી  શહેરમાં પ્રચારના કાર્યમાં છે.

(10:59 pm IST)