Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

બિહારમાં નાના ભાઇ વીરેન્દ્રએ મોટાભાઇ પ્રોફેસરની હત્યા કરાવીઃ દિયર-ભાભી વચ્ચે અનૈતિક સંબંધો કારણભૂત

    બિહારની રાજધાનીના કંકડબાગ થાણા ક્ષેત્રમાં  ટીપીએસ કોલેજના પ્રોફેસર પપ વર્ષીય શિવનારાયણ રામની હત્યાનો મામલાનો ખુલાસો  કરતા પોલીસએ કહ્યું કે આ હત્યા પ્રોફેસરના નાનાભાઇ વિરેન્દ્ર રામએ કરાવી હતી. પોલીસનો દાવો છે કે પ્રોફેસરની પતની  એટલે કે ભાભી સાથે વિરેન્દ્રને અનૈતિક સંબંધ હતા જેમા મોટાભાઇ અડચણરૂપ હતા પોલીસએ આ મામલામાં છ લોકોની ધરપકડ કરી છે.

        પટનાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઉપેન્દ્ર શર્માએ બતાવ્યું કે ભાભી સાથે અનૈતિક સંબંધમા વીરેન્દ્રએ મોટા ભાઇની હત્યા કરાવી હતી.  આ રુપિયામાં  સોપારી કીલર વિકાસ અને ધીરજએ ૭પ-૭પ હજાર રુપિયા વેંચી લીધા હતા.

        એમણે બતાવ્યું કે  પોલીસએ વિરેન્દ્ર અને એના મિત્ર શૈલેન્દ્ર ઉપરાંત હત્યાને અંજામ આપવાવાળા પીરબહોર થાના ક્ષેત્રના વિકાસ કુમાર, ધીરજકુમાર, અમરજીત કુમાર અને ગાંધી  ચોકના પ્રેમ સાગરની ધરપકડ કરી છે. બધાએ પોતાનો ગુનો કબુલી લીધો છે.

 

(11:43 pm IST)