Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

સુપોલમાં CAA વિરુદ્ધ રેલીને સંબોધિત કરવા ગયેલ કનૈયાકુમારના કાફલા પર પથ્થરમારો: બે વાહનોના કાચ તૂટ્યા: ત્રણ લોકોને ઇજા

કેટલાક લોકોએ કાળી શ્યાહી ફેંકતા કાફલો અટકી જતા જામ સર્જાયો અને પથ્થરમારો કરાયો

નવી દિલ્હી : સુપોલમાં કનૈયા કુમારના કાફલા પર પથ્થર મારો થયો છે પથ્થરમારામાં કાફલામાં હાજર એક વાહનમાં સવાર એક યુવતી સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી છે.

આ ઘટના સદર પોલીસ સ્ટેશનના મલ્લિક ચોત પર થઈ છે  સુપૌલમાં જનસભાને સંબોધિત કર્યા બાદ તેનો કાફલો સહરસા માટે નિકળ્યો હતો. પથ્થરમારામાં બે વાહનોના કાચ તૂટી ગયા.હતા

JNUના પૂર્વ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કનૈયા કુમારની બુધવારે કિશનપુર પ્રખંડના સિસૌની નેમનમામાં સભા હતી. સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે સભા બાદ કનૈયા કુમાર પોતાના કાફલા સાથે સહરસા માટે નિકળ્યા. કાફલા પાછળ સુરક્ષા પણ હતી. મલ્લિક ચોર પર પહેલાથી જ 25 થી 30 જેટલા યુવકો CAA અને NRCના સમર્થનમાં નારા લગાવી રહ્યાં હતા. જેવો તેમનો કાફલો ત્યાંથી પસાર થયો પહેલાં કેટલાક લોકોએ તેના પર કાળી શ્યાહી ફેંકી. કાફલામાં સામેલ વાહનો અટકી જતા ત્યાં જામ સર્જાયો અને આ વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો.

(9:12 pm IST)