Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ફરી રામભરોસે ભાજપ ? દિલ્હી ચૂંટણીના ત્રણ દિવસ પહેલા પીએમ મોદીએ ફેંકયુ શ્રીરામ મંદિર ટ્રસ્ટનું 'ટ્રમ્પ કાર્ડ'

નવી દિલ્હી તા. ૫: દિલ્હી વિધાનસભાની ચૂંટણીના ત્રણ દિવસ પહેલા અને ચુંટણી પ્રચાર સમાપ્ત થવાના ૩૦ કલાક પહેલા પીએમ મોદીએ નવો દાવ ખેલ્યો છે. તેમણે સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર આજે સંસદમાં રામ મંદિર ટ્રસ્ટ બનાવવાનું એલાન કર્યુ હતું. પીએમના એલાન સાથે જ સાંસદોએ સંસદમાં જયશ્રી રામના નારા લગાવ્યા હતાં. દિલ્હીની ચૂંટણીના ૩ દિવસ પહેલા પીએમ મોદીના આ એલાન પર આપ અને કોંગ્રેસે નિશાન સાધ્યુ છે.  પીએમની આ જાહેરાત પછી રાજકીય લડાઇ શરૂ થઇ છે. કોંગ્રેસે મોદીના એલાનના સમય પર સવાલ ઉભો કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે, આનું એલાન કરવા માટે સરકારે ૩ મહિના કેમ લીધા ? દિલ્હીની ચૂંટણીની વખતે જ કેમ જાહેરાત કરી ? દિલ્હીમાં ૮મીએ ચૂંટણી છે  અને આવતીકાલે પ્રચાર સમાપ્ત થવાનો છે. ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે.

(3:23 pm IST)