Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

દિલ્હી ચૂંટણી પરિણામ આવતા જ શાહીન બાગ સાફ થવા લાગશે : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

આપ પર શાહીન બાગના વિરોધીઓને ટેકો આપવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે લોકોને ખાતરી આપી હતી કે 11 ફેબ્રુઆરીથી શાહીન બાગને સાફ કરવાની શરૂઆત કરવામાં આવશે. બીજેપી નેતાએ કહ્યું કે, '11 ફેબ્રુઆરીએ પરિણામો બહાર આવતાની સાથે જ શાહીન બાગ પણ સાફ થઈ જશે. હું તમને ખાતરી આપું છું.' દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં લગભગ 50 દિવસથી ચાલી રહેલા સીએએનાં વિરોધને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીના મુદ્દો તરીકે રજૂ કરવામાં આવ્યો છે. ભાજપ તેના પ્રચારમાં તેનો ભર પૂર ઉપયોગ કરી રહી છે.

   આ નિવેદનના થોડા દિવસ પહેલા, ચૂંટણી રેલી દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપવા માટે ઠાકુરના પ્રચાર પર EC દ્વારા પ્રચાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઠાકુરે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પર પણ શાહીન બાગના વિરોધીઓને ટેકો આપવાનો આરોપ લગાવ્યો હતો.

(1:02 am IST)