Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

કુણાલ કામરાના સમર્થનમાં ઉતર્યા અનુરાગ કશ્યપઃ ઇંડિગો એરલાઇન્સનો કર્યો વિરોધ

       બોલીવુડ નિર્દેશક અનુરાગ કશ્યપ સોશ્યલ મીડિયા પર એકટીવ રહેતા દરેક મુદા પર પોતાની વાત આસાનીથી રાખે છે.  એવામાં હવે અનુરાગએ કુણાલ કામરાના વિવાદને લઇ ઇંડીયો એરલાઇન્સ પર નિશાન સાધ્યું છે. અનુરાગનું ટવિટ સોશ્યલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યું છે.

        હાલમાં જ  ચાર એરલાઇન્સ (ઈંડિગોે, એર ઇન્ડિયા, ગો  એર અને સ્પાઇસ જેટ) દ્વારા સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે પછી અનુરાગએ કુણાલનું ખુલ્લુ સમર્થન કર્યુ જયારે અનુરાગએ કુણાલના સમર્થનમાં જ હવે ઇન્ડિગોનો પણ  બહિષ્કાર કર્યો છે.

(12:00 am IST)