Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

મને તો વામન ભગવાન યાદ આવી ગયા હતા, પૃથ્વીથી ત્રણ ગણી જમીન આપવી એ ભારતનાં વડાપ્રધાનની તાકાત છે?

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલની જાહેરસભામાં કોંગ્રેસ ઉપર આરોપોની ઝડીઓ વરસાવી હતી. તેઓએ રમૂજમાં કહ્યુ હતું કે, કોંગ્રેસના એક નેતાએ ભાષણમાં મોદીએ ઉદ્યોગપતિને ૪૮ હજાર કરોડ એકર જમીન આપી દીધી છે. તે બાબતનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ આ મુદ્દાને જબરદસ્ત વ્યંગ કરતા કહ્યું મને વામન ભગવાન યાદ આવી ગયા. પૃથ્વીથી ત્રણ ગણી જમીન આપવી એ ભારતના વડાપ્રધાનની તાકાત છે ! મારે પૂછવું છે કે આ કોંગ્રેસના નેતાને કઈ બિમારી છે?

નરેન્દ્રભાઈએ આવો જ એક મુદ્દો રજૂ કરી જણાવ્યુ હતું કે હું રાજકોટ એરપોર્ટથી આવતો હતો ત્યારે હોર્ડીંગ બોર્ડ વાંચ્યુ હતું જેમાં લખ્યુ હતું કે રાજકોટે ત્રણ ત્રણ સીએમ આપ્યા પણ એક પણ ઈન્ટરનેશન એરપોર્ટ ન બન્યું. અલ્યા આ જવાબદારી ભારત સરકારની હોય છે અને ૧૦ વર્ષ તમારા વડાપ્રધાન હતા જેમને આવંુ પ્રાથમિક જ્ઞાન નથી તેમનું શું કરવું?

(2:04 pm IST)