Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ભાવ ઘટાડો કેટલા દિવસ ટકશે તેવો વાહન ચાલકોનો સવાલ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાયેલો ઘટાડો સારી બાબત છે પરંતુ હજુ પણ જે કિંમત છે તે અંગે સરકારે કંઈક વિચારવું જોઈએ

અમદાવાદ, તા.૪: એક તરફ દિવાળી ટાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થયો છે પરંતુ આ ઘટાડો કેટલો સમય ટકશે તેને લઈને લોકોના મનમાં અનેક સવાલો થઈ રહ્યા છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકારે પણ પેટ્રોલ-ડીઝલના વેટમાં રૂપિયા ૭નો ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. આમ થતાં પેટ્રોલ લિટર દીઠ ૧૨ રૂપિયા અને ડીઝલમાં ૧૭ રૂપિયાનો દ્યટાડો નોંધાયો છે. જોકે, આ ઘટાડો કેટલો ટકશે તેને લઈને સવાલો થઈ રહ્યા છે.

એકસાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરતા અમદાવાદમાં પેટ્રોલની કિંમત ફરી એકવાર ૧૦૦ના અંદર આવી ગઈ છે. જેમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૯૫.૧૧ રૂપિયા, સુરતમાં ૯૫.૦૧ રૂપિયા, રાજકોટ ૯૪.૮૯ રૂપિયા, વડોદરા ૯૪.૭૮ રૂપિયા પહોંચ્યો છે. આમ ગુજરાતના શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર પહોંચ્યા બાદ તે ફરી એકવાર નીચો આવ્યો છે.

એક તરફ મોંઘવારી વધી રહી છે અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવનો માર ખાવો પડી રહ્યો હતો, જેમાં નાગરિકોને થોડી રાહત મળી છે. જોકે, હજુ પણ આ ભાવમાં વધુ ઘટાડો કરવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા ઈચ્છા વ્યકત કરવામાં આવી રહી છે. બીજી તરફ કેટલાક વાહનચાલકો એવી પણ શંકા વ્યકત કરી રહ્યા છે કે આ માત્ર થોડા સમય માટેનો ઘટાડો ના હોય.. કારણ કે પ્રજામાં મોદ્યવારીના કારણે પ્રસરી રહેલી નારાજગી પર પડદો પાડવા માટે આ ઘટાડો કરવામાં આવ્યો હોય અને તહેવારો જતા ફરી તેમાં વધારો ઝીંકવામાં આવી શકે છે.

અન્ય ચીજ વસ્તુઓ અને સર્વિસની મોંદ્યવારીને ઓછી કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ થોડો દ્યટાડો કરવા અંગે સરકારે વિચારણા કરવી જોઈએ તેવી ઈચ્છા વ્યકત કરી છે.

હાલ સરકારોએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે ઘટાડો કર્યો છે તે તહેવારો ગયા બાદ ૧૦ દિવસ પછી ફરી વધારો કરી દેવામાં ના આવે તો સારું.

દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ ૧૦૦ને પાર થઈ ગયા છે. ડીઝલના ભાવ પણ સતત વધવાના કારણે તેની અસર બાકી દરરોજની ઉપયોગમાં આવતી વસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે. ૨૮ સપ્ટેમ્બર પછી સતત ૨૫ વખત પેટ્રોલના ભાવમાં વધારો ઝીંકાયો છે. જોકે, હવે ઘટાડો થતા પેટ્રોલ ૧૨ રૂપિયા અને ડીઝલમાં ૧૭ રૂપિયાનો ઘટાડો થયો છે.

(10:34 am IST)