Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

૨૦૨૪ સુધી ભારતમાં મંદીના એંધાણઃ અર્થતંત્રની રફતાર ધીમી રહેશેઃ આર્થિક સંગઠનની આગાહી

ભારતનું બેન્કિંગ સેકટર ફરી મજબૂત થશે

નવી દિલ્હીઃ મોદી સરકારની બીજી ઈનિંગમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન ૬.૬ ટકા રહશે તેવુ અનુમાન ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે લગાવ્યુ છે. સંગઠનનુ કહેવુ છે કે, ભારતનો ગ્રોથ રેટ ૨૦૧૩ થી ૨૦૧૭ દરમિયાન ૭.૭ ટકા હતો.જેમાં હવે ઘટાડો જોવા મળી શકે છે.ભારતનુ બેન્કિંગ સેકટર ફરી મજબૂત થશે તેવી આગાહી પણ આ સંગઠને કરી છે.

રિપોર્ટમાં કહ્યુ છે કે, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર અંગે તનાવ યથાવત રહે તેવુ અનુમાન છે.જેની અસર બીજા વિકસિત દેશોના અર્થતંત્ર પર પડવાની છે.આ તનાવના કારણે વધારે નિકાસ કરવાની શકયતાઓને લઈને અનિશ્ચિતતા વધશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન રેટિંગ એજન્સી ફીચ અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ ભારતના અર્થતંત્રના વિકાસ દરમાં દ્યટાડો થવાનુ અનુમાન લગાવ્યુ છે. ફિચે ચાલુ વર્ષમાં ભારતનો વિકાસ દર ૬.૬ ટકા નહી બલ્કે ૫.૫ ટકા રહેશે તેવુ અનમાન કરેલુ છે.ફિચનુ કહેવુ છે કે, નોન બેન્કિંગ ફાઈનાન્સિલય કંપનીઓમાં આવેલા આર્થિક સંકટના કારણે આ સ્થિતિ પેદા થઈ છે.

એજન્સીનુ કહેવુ છે કે, મોદી સરકાર તરફથી કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવાના નિર્ણયની અસર દેખાશે પણ તે ધીરે ધીરે જોવા મળશે.હાલમાં ઘરેલુ માંગની સાથે સાથે વિદેશી માંગમાં પણ ઘટાડાના કારણે ભારતનુ અર્થતંત્ર નબળુ પડી રહ્યુ છે. બીજી તરફ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો ગ્રોથ રેટ ૬.૧ ટકા રહેશે તેવુ અનુમાન કર્યુ છે.

(11:43 am IST)