Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ધારાસભ્યોને ખેડવવા ગુનેગારોનો ઉપયોગ અને કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ કરે છે ભાજપઃ શિવસેનાના સંજય રાઉત

મહારાષ્ટ્રમાં શિવસેનાનો મુખ્યમંત્રી હશેઃ ૧૭૦થી વધારે ધારાસભ્ય અમારી સાથે છે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદ માટેના વિવાદ વચ્ચે શિવસેનાના રાજયસભા સાંસદ સંજય રાઉતે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સંજય રાઉતે બીજેપી પર રાજયના ધારાસભ્યોને પક્ષમાં કરવા માટે ગૂનેગારોનો ઉપયોગ કરવા અને કેન્દ્રીય એજન્સીનો દુરપયોગ કરી દબાવવાનો આરોપ લગાવ્યો છે.

 આ આરોપો સાથે રાઉતે એમ પણ કહ્યું કે જો બીજેપી નથી માનતી તો મહારાષ્ટ્રમાં શિવસેનાનો મુખ્યમંત્રી હશે કેમકે પ્રદેશના ૧૭૦થી વધારે ધારાસભ્ય અમારી સાથે છે. મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રના ધારાસભ્યોને પોતાની સાથે જોડવા માટે બીજેપી કેન્દ્રીય એજન્સીઓ, ગુનેગારો અને અન્ય સંસાધનોનો ઉપયોગ કરી રહી છે.

રાઉતે કહ્યું કે તે જલ્દી જ આ વાતનો ખુલાસો કરશે કે કેવી રીતે બીજેપી ગુનેગારો અને કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ ધારાસભ્યોને પક્ષમાં કરવા માટે કરી રહી છે.

(11:42 am IST)