Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મ્યાંમારના ઉગ્રવાદી સંગઠને બે ભારતીયોને બંધક બનાવ્યા : સાંસદનું પણ અપહરણ કર્યું

મિઝોરમથી મ્યાંમારને જોડાતા પ્રોજેક્ટ પર કાર્યરત ભારતીયોને રસ્તામાંથી ઉપાડી ગયા

નવી દિલ્હી ; મ્યાંમારના ઉગ્રવાદી સંગઠન અરાકરન આર્મીએ બે ભારતીય નાગરિકોને બંધક બનાવ્યા છે. વિદ્રોહિયોએ મ્યાંમારના એક સાંસદનું પણ અપહરણ કર્યું છે. ભારતની એક ટીમ મિજોરમથી સિત્વે પોર્ટ રખાઈન પ્રાંતને જોડનાર રસ્તા નિર્માણ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. તે દરમિયાન રસ્તામાં તેમનું અપહરણ પણ કર્યું હતુ.

અરાકાન આર્મી મેગા કાલાદાન પ્રોજેક્ટ પર હુમલાની સાજિશમાં લાગેલુ છે. આ એક પ્રોજેક્ટ છે જે કોલકતાના હલ્દિયા પોર્ટને મ્યાંમારના સિત્વે પોર્ટ સાથે જોડશે. આ પ્રોજેક્ટ પૂરો થવા પર મિજોરમ મ્યાંમાર સાથે જોડાશે અને બંનેની વચ્ચે આ અંતર એક હજાર કિલોમીટરન સુધી ઓછુ થઈ જશે. બંને સ્થાનોની વચ્ચે યાત્રા સમયમાં પણ ખૂબ કમી આવી જશે.

(12:00 am IST)