Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

નાગ અને સમન્થાના ડિવોર્સ માટે આમિર ખાનને જવાબદાર ઠેરવ્યો છે કંગનાએ

મુંબઇ, તા.૪: નાગ ચૈતન્ય અને સમન્થાએ બે દિવસ અગાઉ તેમના ડિવોર્સની જાહેરાત કરી છે. એવામાં કંગના રનોતે બોલીવુડના એક સુપરસ્ટાર પર આ ડિવોર્સ થવાનો દોષ મઢી દીધો છે. જોકે એ સુપરસ્ટાર કોણ છે તેના નામનો ખુલાસો કંગનાએ નથી કર્યો. પરંતુ એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ કોઈ બીજું નહીં પણ આમિર ખાન જ છે. તેણે પણ થોડા સમય પહેલાં કિરણ રાવને ડિવાઙ્ખર્સ આપ્યા છે. થોડા દિવસો પહેલાં આમિર નાગ ચૈતન્યના પરિવારને મળવા ગયો હતો. ઇન્સ્ટાસ્ટોરી પર કંગનાએ લખ્યું હતું કે 'કોઈનો પણ ડિવોર્સ થાય છે ત્યારે હંમેશાં ભૂલ પુરુષની જ હોય છે. આવું કહેવું થોડું રૂઢિવાદી અથવા તો ખૂબ જજમેન્ટલ લાગી શકે છે. જોકે ભગવાને આવી રીતે જ સ્ત્રી-પુરુષને બનાવ્યાં છે. સાયન્ટિફિકલી પુરુષ શિકારી જેવો છે અને મહિલા પોષણ કરે છે. આવા પ્રકારના લોકો પર દયા દેખાડવાનું બંધ કરો જે મહિલાઓને કપડાંની જેમ બદલે છે અને બાદમાં તેને પોતાની સારી ફ્રેન્ડ જણાવે છે. સોમાંથી એક મહિલા ખોટી હોઈ શકે છે પરંતુ બધી નહીં. ધિક્કાર છે આવા લોકો પર કે જેમને મીડિયા પ્રોત્સાહન આપે છે અને  ફેન્સ મહિલાઓને જજ કરે છે. ડિવોર્સનું કલ્ચર પહેલાં કરતાં વધી રહ્યું છે.

(3:23 pm IST)