Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

કેદારનાથના દ્વાર ચાંદીથી મઢાયાઃ ૫૨ કિલો ચાંદીનો ઉપયોગ

૧૨ જયોતિર્લીંગ માંહેના એક કેદારનાથના પ્રવેશદ્વારને ચાંદીથી મઢી દેવાયા છે. અગાઉના લાકડાના દ્વારને જલંધરના શ્રધ્ધાળુ વેપારી ગગન ભાસ્કરે ચાંદીથી મઢી દીધા. નરેન્દ્રભાઈએ ગયા વર્ષે મંદિરનો પુનરોદ્વાર કરવા માટે અનુરોધ કર્યો હતો. મંદિર સમિતિના અધિકારીઓ, કર્મચારીઓ અને ગગનભાસ્કરની હાજરીમાં મંદિરના દક્ષણી દ્વાર પર ચાંદીના દરવાજા ભાસ્કરની હાજરીમાં મંદિરના દક્ષીણ દ્વાર પર ચાંદીના દરવાજા લગાવાયા હતા. દરવાજામાં ભાસ્કરે કારીગરોને મોકલી ઁ નમઃ શિવાય, જય કેદાર અને રતનદ્વાર લખવાની સાથે ત્રિશુલ, ડમરૂ, નંદી અને ત્રિનેત્ર બનાવાયા છે.

(4:07 pm IST)