Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

નિષ્ણાતોનો દાવો

સપ્ટેમ્બર-ઓકટોબરમાં વાયરસનું સુરસુરિયું

નવા વર્ષે આવી જશે વેકસીન

નવી દિલ્હી,તા.૪ : ભારતમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે દર્દી બીમાર હોવા છતાં પણ હોસ્પિટલ જતા ડરી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના એકસપર્ટ એવા ડોકટર એચ સુદર્શન બલ્લાલે જણાવ્યું કે દેશમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આપણને જોવા મળ્યું છે કે દેશમાં વધુ વસ્તી ધરાવતા મોટા શહેરો જેવા કે દિલ્હી અને મુંબઈ (તેમાં પણ ખાસ કરીને ધારાવીનો ગીચ ઝૂંપડપટ્ટી વિસ્તાર)માં કોરોના સંક્રમણ પર ધીરે-ધીરે નિયંત્રણ મેળવી શકાયું છે. આ મોટા શહેરો આપણા માટે કોરોનાને નિયંત્રણ કરવા માટે આશાનું કિરણ છે.

આ ડોકટરે જણાવ્યું કે સપ્ટેમ્બર-ઓકટોબર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણનો દર ઘટવા લાગશે અને આગામી વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧ની શરૂઆત સુધીમાં આપણી પાસે કોરોનાની વેકિસન (રસી) હશે. કોરોના એટલો વધુ પણ ખતરનાક નથી. દર્દીઓને તે વાતની જાણકારી હોવી જોઈએ કે જો તેઓ બીમાર થાય છે તો તેઓ માટે હોસ્પિટલ છે. જયાંથી તેઓ સાજા થઈ શકે છે.

જયારે કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યારે તે આપણા માટે નવો હતો. રાજયોએ કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે કડક પગલા લીધા, લાંબા સમય સુધી લોકડાઉન આ મહામારીનો ઉપાય નથી. જો ધીરે-ધીરે અનલોક થઈએ નહીં તો આપણી અર્થવ્યવસ્થા પર અસર પડે. આપણી હેલ્થ ઈન્ડસ્ટ્રી સંદ્યર્ષ કરી રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૧,૮૦૩,૬૯૫ કેસ નોંધાયા છે અને કુલ ૩૮,૧૩૫ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૧૮૬,૨૦૩ દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે.

આ ડોકટરે જણાવ્યું કે કર્ણાટક રાજયમાં શરૂઆતના ત્રણ મહિનામાં કોરોનાની સ્થિતિ પર નિયંત્રણ રહ્યું. કેરળમાં કોરોનાના કેસ વધ્યા પણ તેના પર નિયંત્રણ પ્રાપ્ત કરવામાં આ રાજય એક સારું મોડલ સાબિત થયું. આ સિવાય પણ અન્ય રાજયો ઝડપથી કોરોનાના કેસ પર નિયંત્રણ મેળવી રહ્યા છે. દિલ્હી અને મુંબઈ જેવા શહેરમાં પણ હવે પહેલા કરતા સારી સ્થિતિ છે.

(10:29 am IST)