Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

જન ધન યોજનાના બેંક ખાતાની સંખ્યા 40 કરોડને પાર પહોંચી : જમા રકમ 1.30 લાખ કરોડથી વધારે

આ ખાતામાં ખાતાધારકે ખાતામાં ઓછામાં ઓછી રકમ જાળવવાની જરૂરી હોતી નથી

 

નવી દિલ્હી : મોદી સરકારનાં આર્થિક સમાવેશ કાર્યક્રમ, વડા પ્રધાન જન ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ 40 કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. યોજના વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી.અત્યાર સુધીમાં 40.05 કરોડ લોકોના જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે અને ખાતાઓમાં જમા થયેલ રકમ 1.30 લાખ કરોડથી પણ વધી ગઈ છે.

નાણાં મંત્રાલય અંતર્ગત નાણાકીય સેવાઓ વિભાગ (ડીએફએસ) એક ટ્વિટમાં જણાવ્યું છે કે, પીએમજેડીવાય હેઠળ વિશ્વનો સૌથી મોટો આર્થિક સમાવિષ્ટ પ્રોગ્રામે અન્ય એક મહત્ત્વપૂર્ણ લક્ષ્ પ્રાપ્ત કર્યું છે. યોજના હેઠળ ખોલવામાં આવેલા કુલ ખાતાઓની સંખ્યા 40 કરોડને વટાવી ગઈ છે. આર્થિક સમાવેશના કાર્યક્રમને તેના અંતિમ તબક્કામાં લઈ જવા પ્રતિબદ્ધ છે.

જન ધન ખાતામાં સફળતા યોજનાની છઠ્ઠી વર્ષગાંઠના દિવસો પહેલા મળી છે. યોજના 28 ઓગસ્ટ 2014નાં રોજ શરૂ કરવામાં આવી હતી. યોજનાનો ઉદ્દેશ દેશના તમામ લોકોને બેંકની સુવિધાઓ સાથે જોડવાનો છે. પીએમજેડીવાય અંતર્ગત ખોલવામાં આવનાર જન ધન એકાઉન્ટ્સ મૂળભૂત બચત બેંક ખાતા છે. આની સાથે રૂપી કાર્ડ અને ખાતા ધારકોને ઓવરડ્રાફટ આપવાની વધારાની સુવિધા આપવામાં આવે છે. ખાતામાં ખાતાધારકે ખાતામાં ઓછામાં ઓછી રકમ જાળવવાની જરૂરી હોતી નથી.

 

(8:42 am IST)