Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

દેશમાં વરસાદ અને પૂરને કારણે મૃત્યુઆંક 650 થયો :જુલાઈમાં એકલા યુપીમાં 175 લોકોના મોત

નવી દિલ્હી :દેશભરમાં વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં અંદાજે 650 લોકોના મોત નીપજ્યા છે. એકલા ઉત્તરપ્રદેશમાં પહેલી જુલાઈથી અત્યાર સુધીમાં 175 લોકોના મોત નીપજ્યા છે. યુપીના પાટનગર લખનૌ સહીતના મોટાભાગના જિલ્લાઓમાં આગામી 48 કલાક દરમિયાન વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો  ઉત્તરાખંડના દહેરાદૂનમાં 72 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

(12:26 am IST)