Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વોડાફોન આઇડિયા લિમિટેડ આવતા સપ્તાહથી ભારતની સૌથી મોટી મોબાઇલ ફોન કંપનીનો સત્તાવાર પ્રારંભ કરશેઃ ડે ઝીરો તરીકે આ દિવસને ઓળખવામાં આવશે

નવી દિલ્હીઃ આવતા સપ્તાહથી વોડાફોન અને આઇડિયા કંપની અેકબીજામાં મર્જ થઇ જશે અને આ દિવસને ડે ઝીરો દિવસ તરીકે ઓળખવામાં આવશે.

વોડાફોન આઇડિયા લિમિટેડ આવતા સપ્તાહથી ભારતની સૌથી મોટી મોબાઇલ ફોન કંપની તરીકે સત્તાવાર શરૂઆત કરે તેવી અપેક્ષા છે. બંને કંપની આ દિવસનેડે ઝીરોતરીકે ઓળખે છે. ફરી નફો મેળવવાના ઈરાદા સાથે બંને કંપનીએ કરેલા મર્જર દ્વારા ખર્ચકાપનાં પગલાં ભરવાથી ફાયદો થશે અને કંપની તેને પ્રાથમિકતા આવશે એમ આ હિલચાલથી પરિચિત લોકોએ જણાવ્યું હતું.

કંપનીએ જે પગલાં ભરવાનું નક્કી કર્યું છે તેમાં બંનેના ડિસ્ટ્રિબ્યુટર અને ટાવર નેટવર્ક્સને તાર્કિક બનાવવા, એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ ખર્ચમાં ઘટાડો કરવો, નવી ભરતી બંધ કરવી અને તમામ સર્કલ્સમાં ફાજલ પડેલી ઓફિસો બંધ કરવી વગેરેનો સમાવેશ થાય છે.

વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરે માર્ચ 2017માં જ્યારે મર્જરની જાહેરાત કરી હતી ત્યારે તેમણે અંદાજ આપ્યો હતો કે મર્જર પછીના ચોથા વર્ષથી ખર્ચમાં ₹8,400 કરોડની વાર્ષિક બચત થશે. ત્યારથી બંને કંપનીની નાણાકીય સ્થિતિ કથળતી રહી છે. તેમની આવક 20 ટકા જેટલી અને રેવન્યુ માર્કેટ શેર તો 4 ટકા જેટલો ઘટી ગયો છે. આથી, તેમના માટે ખર્ચમાં બચત કરવી સૌથી અગત્યની બાબત છે એમ નિષ્ણાતો જણાવે છે.

એક કંપનીના એક્ઝિક્યુટિવે નામ નહીં છાપવાની શરતે જણાવ્યું હતું કે, “જે ક્ષેત્રોમાં જંગી ખર્ચ થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બે કંપની એક બનીને કામ શરૂ કરશે એટલે કેટલાક ડિસ્ટ્રિબ્યુટર્સને ચોક્કસપણે વિદાય આપવી પડશે.

એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, મર્જ બાદ અસ્તિત્વમાં આવનારી કંપની પાસે 43 કરોડ ગ્રાહકો, 37 ટકા રેવન્યુ માર્કેટ શેર, ₹60,000 કરોડની આવક અને,૨૫,૦૦૦ કરોડનું દેવું હશે. આ મર્જ્ડ કંપનીનો ડે ઝીરોઆવતા સપ્તાહે આવશે. તેમના મર્જર બાદ નં.1 ટેલિકોમ કંપની ભારતી એરટેલ બીજા ક્રમે આવી જશે. વોડાફોન અને આઇડિયાને ગયા સપ્તાહે સરકાર તરફથી મંજૂરી મળી હતી અને હવે માત્ર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પાસેથી મંજૂરી મેળવવાની બાકી છે.

જ્યારે વાસ્તવમાં તાતી જરૂર હશે તેવા કિસ્સામાં જ ભરતી થશે. બંને કંપનીએ આ મર્જર માટે હજારો કર્મચારીને છૂટા કર્યા છે અને હવે તેમની પાસે 15,000 જેટલાં કર્મચારી છેએમ આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું. આ કર્મચારીઓ અલગ-અલગ યુનિટ્સમાંથી કામ કરવાને સ્થાને એક જ ઓફિસમાંથી કામ કરશે અને નવી ઓફિસોમાં શિફ્ટિંગનું કામ તમામ સર્કલ્સમાં તાત્કાલિક અસરથી શરૂ થશે.

(6:19 pm IST)