Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

આરએસએસનો સંઘ શિક્ષા વર્ગઃ સ્‍વયમસેવકોનું પથ સંચાલન

નાગપુર ખાતે ચાલી રહેલ રાષ્‍ટ્રીય સેવક સંઘ શિક્ષા વર્ગના તૃતીય વર્ષની પ્રશિક્ષણ શિબિરમાં દેશભરમાંથી ભાગ લઇ રહેલ ૮૨૮  પ્રશિક્ષણાર્થીઓએ રેશમબાગ પરીસરથી પથ સંચાલન શરૂ કરી ડો. હેડગેવાર સ્‍મારક સમિતિ મેદાન ખાતે પૂર્ણ કરેલ. રાષ્‍ટ્રીય સ્‍વયમ સેવક સંઘના સર્વાધિકારીશ્રી અનિરૂધ્‍ધજી દેશપાંડે તથા સહકાર્યવાહક ભૈય્‍યાજી જોષીએ પથ-સંચાલનનું અવલોકન કર્યું હતુ. તૃતીય વર્ષ પ્રશિક્ષણ શિબિરનું આયોજન નાગપુર ખાતે જ કરવામાં આવે છે. આ ૨૫ દિવસીય તૃતીય વર્ષ પ્રશિક્ષણ શિબિરની પૂર્ણાહુતી ૧૬ જુને થશે.

 

(1:33 pm IST)