Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટના પરપ્રાંતીયનો મામલો યુપી પહોંચ્યો : રાજ્યપાલ આનંદીબેન પટેલે મુખ્યમંત્રીઓ સાથે કરી ટેલિફોનિક ચર્ચા

પરપ્રાંતીયોને વતન લાવવા માટે આયોજન કરવા નિર્દેશ કર્યા હતા

રાજકોટમાં પરપ્રાંતિયોની ભીડનો મામલે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ  રૂપાણી તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ચર્ચા કરી હતી અને પરપ્રાંતિયોને વતન લાવવા માટે આયોજન કરવા નિર્દેશ કર્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે જકોટના આહિર ચોક અને આજીડેમ ચોકડી તથા મેટોડા GIDC નજીક પર પ્રાંતિય શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો અને ચક્કાજામ પણ કરતા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ઉતરાવામાં આવ્યો હતો. આ તમામ શ્રમિકોએ વતન જવાની માગણી ઉચ્ચારી હતી.

(12:00 am IST)