Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ટ્વીટર ઇન્ડિયાએ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતના બે ટ્વીટ ડીલીટ કરી નાખ્યા : કૃષિધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતો વિષે અણછાજતી કોમેન્ટ કરી ટવીટરના નિયમોનો ભંગ કર્યો

ન્યુદિલ્હી : ટ્વીટર ઇન્ડિયાએ આજ ગુરુવારના રોજ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતના બે ટ્વીટ ડીલીટ કરી નાખ્યા છે.જેના કારણમાં જણાવાયા મુજબ તેણે કૃષિધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતો વિષે અણછાજતી કોમેન્ટ કરી ટવીટરના નિયમોનો ભંગ કર્યો છે.

બે ટ્વીટ્સ પૈકીના એકમાં અભિનેત્રીએ લખ્યું હતું કે દેશના આ કેન્સર રૂપી રોગનું ઓપરેશન કરવું જરૂરી છે.

જોકે કંગના રનૌતના ટ્વીટ વિરુદ્ધ ટ્વીટર ઇન્ડિયાએ પગલાં લીધા હોય તેવો આ પહેલો બનાવ નથી.આ અગાઉ અભિનેત્રીએ ગયા મહિને વેબસીરીઝ તાંડવ અંગે કરેલી કોમેન્ટ સાથેની ટ્વીટ ડીલીટ કરી નાખવામાં આવી હતી.જે ટ્વીટર ઇન્ડિયાના નિયમોના ભંગ સમાન જણાઈ હતી.

ઉલ્લેખનીય છે કે અભિનેત્રીએ મંગળવારથી ટ્વીટર ઉપર જુદી જુદી બાબતે મારો ચલાવવાનું શરૂ કરી દીધું છે.જે મુજબ મંગળવારે તેણે ઇન્ટર નેશનલ પૉપ સ્ટાર રીહાનાએ આંદોલનકારી ખેડૂતોનું સમર્થન કર્યું તે અંગે કોમેન્ટ કરી છે.જે મુજબ તેણે રીહાનાને મુરખ અને આંદોલનકારી ખેડૂતોને આતંકવાદી ગણાવ્યા છે.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:10 pm IST)