Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જંગલોમાં લાગેલ ભીષણ આગને કારણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની ભારત યાત્રા મોકુફ

       ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલ આગ વચ્ચે પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની પ્રસ્તાવિત ભારત યાત્રા ટળી છે.

        પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઓસ્ટ્રેલિયન સમકક્ષને ફોન કરી ત્યાં મોટા પાયે લાગેલ આગને કારણ જાનમાલની ક્ષતિ પર સંવેદના વ્યકત કરી છે.

        જયારે ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રીએ યાત્રાને ભવિષ્યની કોઇ  સુવિધાજનક તારીખ સુધી ટાળી દીધી છે.  જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલીયન પ્રધાનમંત્રી ભારત આવવાના હતા.

(11:25 pm IST)