Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

રામ મંદિર નિર્માણ માટે ૧૧ થી ૧૦૧નું દાન આપો : ભાજપ નવો કાર્યક્રમ આપશે

જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વીટર ઉપર આપેલ વિગતો

નવી દિલ્હી : જાણીતા પત્રકાર શીલા ભટ્ટે તેમના ટ્વીટર હેન્ડલ ઉપર (@shila2020) જણાવ્યુ છે કે સીટીઝનશીપ (એમેન્ડમેન્ટ) એકટ (સીએએ)ના સમર્થનમાં નાગરીકો પોતાની સહમતી માટે ભાજપ દ્વારા જાહેર કરાયેલ ટોલ ફ્રી નંબર ૮૮૬૬૨૮૮૬૬૨ ઉપર મીસકોલ કરી નોંધાવી શકે છે.નજીકના ભવિષ્યમાં જ ભાજપ એક કાર્યક્રમ જાહેર કરી રહેલ છે. જે દ્વારા રામમંદિર નિર્માણ માટે દેશના નાગરીકોને રૂ.૧૧નો ફાળો આપવા અપીલ કરાશે. આ કાર્યક્રમ હેઠળ રામ - મંદિર નિર્માણ માટે રૂ.૧૧ થી લઇને વધુમાં વધુ ૧૦૧ રૂ.નું દાન આપી શકાશે તેમ શીલા ભટ્ટ લખે છે.

(11:40 am IST)