Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

સાઉથ કોરિયાની સેમસંગ મોબાઈલ ફોન કંપની ભારતની આઇ આઇ ટી કોલેજોમાંથી 1000 જેટલા એન્જીનીયરોની ભરતી કરશે

ન્યુદિલ્હી : સાઉથ કોરિયાની સેમસંગ મોબાઈલ ફોન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ  કંપની ભારતમાંથી 2019 ની સાલમાં 1000 જેટલા એન્જીનીયરોની ભરતી કરશે જેના માટે દેશની શ્રેષ્ઠતમ ગણાતી એવી ટેક્નોલોજી કોલેજોના  સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યૂ લેશે તથા આઇ આઇ ટી કોલેજોના એન્જીનીઅર સ્ટુડન્ટ્સને કંપનીમાં જુદા જુદા વિભાગની કામગીરી સોંપશે

 કંપની 2020 ની સાલ સુધીમાં કુલ 2500 જેટલા ટેક્નોલોજી નિષ્ણાત એન્જીનીયરોની ભરતી કરવાનું પ્લાનિંગ ધરાવે છે.જેનો હેતુ હરીફ કંપનીઓ સામે ટક્કર લેવાનો છે.

 ભારતમાંથી 2019 ની સાલમાં ભરતી કરવા માટે બેંગ્લુરુ,નોઈડા,તથા ન્યુદિલ્હી ખાતેના સેન્ટરો નક્કી કરાયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:22 pm IST)