નવી દિલ્હી, તા.૩: ગુજરાતના મોરબીમાં મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૪ લોકોના મોત થયા છે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ આ માનવ સર્જિત અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ભારતમાં આવા કેસમાં કડક સજાના ઉદાહરણો ભાગ્યે જ જોવા મળે છે. તપાસના નામે કમિટીઓ રચાય છે. પરંતુ સામ્યવાદી ચીનમાં આવા જ એક કેસમાં એક વ્યક્તિને મોતની સજા આપવામાં આવી હતી. આ મામલો લગભગ ૨૩ વર્ષ જૂનો છે. ચીનના એક શહેરમાં પુલ ધરાશાયી થતાં ૪૦ લોકોના મોત થયા છે. જ્યારે ચીને આ મામલાની તપાસ કરી તો તેના કાયદા અનુસાર એક વ્યક્તિ દોષિત ઠર્યો અને ત્યાંની કોર્ટે તેને મોતની સજા સંભળાવી.
ભારતમાં આ કેસમાં કાર્યવાહીની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં મોટાભાગના લોકો એવા છે જેઓ આ પુલના સમારકામ સાથે જોડાયેલા છે. જેમાં ઓરેવા ગ્રુપના બે મેનેજર અને બે કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે જેમણે કથિત રીતે પુલનું સમારકામ કર્યું હતું. કોર્ટે બંનેને શનિવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. જ્યારે અન્ય પાંચને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે ૪ જાન્યુઆરી, ૧૯૯૯ના રોજ ચીનના કિજિયાંગ કાઉન્ટીમાં એક પુલ તૂટી પડ્યો હતો. રેઈનબો બ્રિજ નામનો આ ૧૮૦ મીટર લાંબો બ્રિજ માત્ર ૩ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. આ પુલ દુર્ઘટનામાં ૪૦ લોકોના મોત થયા હતા. જ્યારે ચીનની એજન્સીઓએ આ પુલ દુર્ઘટનાની તપાસ કરી તો તેના નિર્માણમાં ઘણી ખામીઓ સામે આવી.
ચીનની એજન્સીઓને જાણવા મળ્યું કે પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાના સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ અન્ય સામગ્રી નબળી ગુણવત્તાની હતી. સ્ટીલની ગુણવત્તા નબળી હતી અને બાંધકામ દરમિયાન ઇજનેરી નિર્ણયો લેવામાં બેદરકારી હતી.
ઉદાહરણ સેટ કરવા માટે, ચીને આ કેસની અદાલતી કાર્યવાહીનું રાષ્ટ્રીય સ્તરે પ્રસારણ કર્યું. આ કેસમાં કમ્યુનિસ્ટ પાર્ટીના એક અધિકારીને મળત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી જ્યારે અન્ય દોષિતોને ૩ થી ૧૩ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. દોષિત ઠરેલાઓમાં કોન્ટ્રાક્ટર, એન્જિનિયર, મટિરિયલ સપ્લાયર્સ અને કેટલાક સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે, જેમને ૩ થી ૧૩ વર્ષની સજા મળી હતી.
અદાલતે ૩૭ વર્ષીય લિન શિયુઆનને મળત્યુદંડની સજા સંભળાવી, તેણીને લાંચ લેવાનો દોષી ઠેરવ્યો અને તેણીને તેના કામમાં બેદરકારીનો દોષી ઠેરવ્યો. આ સુનાવણી ચોંગકિંગની પીપલ્સ કોર્ટમાં થઈ હતી.
બાળપણના મિત્રને પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો
ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, લિને આ કેસમાં ૧૨,૦૦૦ ડોલરની લાંચ લઈને તેના બાળપણના મિત્રને પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે ચીન મોટા પાયે પુલ બનાવી રહ્યું હતું. આ બ્રિજ દુર્ઘટનાને કારણે વિશ્વભરમાં ચીનની ટીકા થઈ હતી અને તેના પર સબસ્ટાન્ડર્ડ બાંધકામને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો હતો.
આ પછી, ચીનના બાંધકામ મંત્રાલયે તેના -ોજેક્ટમાં સલામતીને મહત્વપૂર્ણ પ્રાથમિકતા આપવાનું વચન આપ્યું હતું.
ચોંગકિંગ કોર્ટના ચુકાદામાં, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની કિજિયાંગ કાઉન્ટી કમિટીના ભૂતપૂર્વ નાયબ સચિવ લિન શિયુઆનને અકસ્માતમાં સંડોવણી બદલ મળત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે કન્સ્ટ્રક્શન ડિઝાઇન ઇન્સ્ટિટયૂટના ડિરેક્ટર ડુયાન હાઓને ૧૦ વર્ષની જેલ અને ઼૨૪,૦૦૦ દંડની સજા ફટકારી હતી. આ સિવાય બ્રિજ બનાવવાની જવાબદારી લેનાર ફેઈ શેંગલી અને લી મેંગઝેને ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, તેમને ૬૦ હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પુલના નિર્માણમાં સલામતીના પાસાને ગંભીરતાથી અવગણવા બદલ તેઓ દોષિત સાબિત થયા હતા.
લિયુ ઝેજુન, જેમના પર તે આરોપ અને હલકી ગુણવત્તાવાળા મકાન સામગ્રીના ઉત્પાદનનો આરોપ મૂકવામાં આવ્યો હતો, તેને ૧૩ વર્ષની જેલની સજા અને $36,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ પુલ માટે સ્ટીલની પાઇપ સપ્લાય કરી હતી.
આ સમય દરમિયાન ચીનમાં ત્રણ વિશાળ ડેમ બનાવવામાં આવી રહ્યા હતા. ત્યારે તત્કાલિન વડાપ્રધાન ઝુ રોંગજીએ બિલ્ડરોને ચેતવણી આપી હતી કે આ બાંધકામમાં કોઈપણ પ્રકારની બેદરકારી તેમના જીવનમાં વિનાશ લાવશે.