Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સોમવારે ફરી સબરીમાલા મંદિરના કપાટ ખુલશે : કેરળના ત્રણ દિવસ માટે કલમ-144 કરાશે લાગુ

કેરળના સબરીમાલા ખાતે ભગવાન અયપ્પા મંદિરના કપાટ સબરીમાલા મંદિર પર વિવાદ હજી સંપૂર્ણપણે થંભ્યો નથી. ત્યારે પાંચમી નવેમ્બરે ફરીથી સબરીમાલા ખાતે ભગવાન અયપ્પા મંદિરના કપાટ વિશેષ પૂજા માટે ખુલવાના છે. તેને ધ્યાનમાં રાખીને કેરળના ઘણાં વિસ્તારોમાં ત્રણ દિવસ માટે કલમ-144 લાગુ કરવામાં આવશે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે  સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દશ વર્ષથી પચાસ વર્ષની વચ્ચેની વયમર્યાદા ધરાવતી કિશોરીઓ અને મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી શકી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ ગત મહિને ઘણું હિંસક વિરોધ પ્રદર્શન થયું હતું. તેને જોતા વહીવટી તંત્ર દ્વારા ચોથી નવેમ્બરથી છઠ્ઠી નવેમ્બર સુધી સન્નીધનમ, પંબા, નિલાક્કલ અને ઈલાવંકુલમાં કલમ-144 લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(1:59 pm IST)