Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

પૂ. હરિચરણદાસજી મહારાજની તબિયત ખૂબ સારી

રાજકોટ : પૂ. રણછોડદાસજી મહારાજના અનન્ય શિષ્ય પૂ. હરિચરણદાસજી મહારાજ (રામજી મંદિર, ગોંડલ), ની આજે તબીયત ખૂબ જ સારી હોવાનું જાણવા મળે છે. તેઓનું હિમોગ્લોબીન ગઇકાલે ઓછુ થઇ જતા તેઓને ઓકિસજન ઉપર રાખવામાં આવ્યા હતા. જો કે આજે તેમની તબીયત સ્થિર છે, ડોકટરોએ તેમને સંપૂર્ણ આરામની સલાહ આપી છે.

(11:17 am IST)