Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

બિહાર વિધાનસભામાં સુશાંત કેસના પડઘા પડ્યા :તેજસ્વી યાદવે સીબીઈ તપાસની માંગણી કરી

બિહારના મંત્રીએ કહ્યું મહારાષ્ટ્ર સરકારનું વલણ સંઘીય માળખાની વિરૂદ્ધ

પટના : બિહાર વિધાનસભામાં સુશાંત સિંહ રાજપૂતના મોતનો મામલો ઉઠાવ્યો છે. સુશાંતના પિતરાઇ ભાઇ નીરજ સિંહે કેસ ઉઠાવ્યો અને સીબીઆઈ તપાસની માંગણી કરી છે. આ બધાની વચ્ચે વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે પણ સુશાંત કેસની સીબીઆઈ તપાસ કરાવાની માંગણી કરી છે. બિહાર સરકારના મંત્રી જય સિંહ – મહારાષ્ટ્ર સરકારનું વલણ સંઘીય માળખાની વિરૂદ્ધ છે. બિહાર વિધાનસભામાં આ મુદ્દાને લઇ જોરદાર હોબાળો જોવા મળ્યો છે.

(2:11 pm IST)