Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

યુપીમાં ગુંડારાજનો વધુ એક પુરાવો. પોલીસ સુરક્ષિત ન હોય ત્યારે જનતા કેવી રહેશે?: રાહુલ ગાંધીનું ટ્વીટ

વીર શહીદોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના અને ઈજાગ્રસ્તોને જલ્દી ઠીક થવાની કામના કરી

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશનાં કાનપુર જિલ્લામાં ગુનેગારો દ્વારા 8 પોલીસકર્મીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ડીએસપી કક્ષાનાં અધિકારી સહિત, 3 સબ ઈન્સ્પેક્ટર, 4 કોન્સ્ટેબલો, વીરગતિ પ્રાપ્ત થયા હતા. આવી સ્થિતિમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપી સરકાર પર સવાલ ઉઠાવ્યો છે. તેમણએ એનડીટીવીનાં સમાચારને ટ્વિટ કરતા યોગી સરકાર પર પ્રહાર કર્યો હતો.

રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, યુપીમાં ગુંડારાજનો વધુ એક પુરાવો. જ્યારે પોલીસ સુરક્ષિત ન હોય ત્યારે જનતા કેવી રહેશે? મારી શોક સંવેદનાઓ માર્યા ગયેલા વીર શહીદોનાં પરિવારજનોની સાથે છે અને હુ ઈજાગ્રસ્તોને જલ્દી ઠીક થવાની કામના કરુ છુ. ''

(12:50 pm IST)