Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

દલિત આંદોલનની ફળશ્રુતિઃ વિપક્ષો એક થયાઃ ભાજપને નુકસાન

નવી દિલ્હી તા. ૩ : લ્ઘ્/લ્વ્ એકટ બાબતે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી દેશભરમાં દલિતોના વિરોધ પ્રદર્શન વચ્ચે વિપક્ષની એકતાને તાકાત મળી છે. વિપક્ષી પાર્ટીઓએ આ પ્રદર્શનના માધ્યમથી સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, ભાજપ દલિતોને નિશાન બનાવી રહી છે. હવે ભાજપના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર પર આ એકટની જોગવાઈઓને કડક બનાવવાનું પ્રેશર છે.

ખાસ વાત એ છે કે 'વિપક્ષ' દલિત સમાજના એક વર્ગના મનમાં એક વાત બેસાડી ચુકી છે કે, તેમના આરક્ષણના અધિકાર સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. થોડાક દિવસ પહેલા ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અનંત હેગડેએ સંવિધાનમાં ફેરફાર કરવાની વાત કરી હતી. કોંગ્રેસે આ નિવેદનની ટીકા કરી અને દલિત સમાજ વચ્ચે આ સ્ટેટમેન્ટને આંબેડકરના અપમાન તરીકે રજુ કરી રહી છે.

બસપા ચીફ માયાવતીએ કહ્યું કે, ભાજપની સરકારમાં દલિતો અને પછાત વર્ગના લોકોના અધિકારોની અવગણના કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ પણ ભાજપના ડીએનએ પર સવાલ ઉભો કરતાં ટ્વિટ કરી કે, ભારતીય સમાજમાં દલિતોને નીચે રાખવા તે ય્લ્લ્-ગ્થ્ભ્ના ઝ્રફખ્માં છે. અને તેને પડકારનારા લોકોને હિંસાના જોરે દબાવવામાં આવે છે.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ય્થ્ઝ્ર લીડર તેજસ્વી યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફટ પાર્ટીઓએ પણ દલિત આંદોલનનું સમર્થન કર્યુ હતું. બેનર્જીએ ટ્વિટમાં લખ્યું કે, મને અત્યંત દુખ અને હેરાની છે કે મારા અમુક દલિત ભાઈઓ અને બહેનોના મૃત્યુ થયા છે અને અમુક ઘાયલ થયા છે. અમે તેમનું સમર્થન કરીએ છીએ અને હું શાંતિની અપીલ કરુ છુ.

લેફટ નેતા સીતારામ યેચુરીએ પણ આંદોલનના સમર્થનમાં કહ્યું કે, રોહિત વેમુલાથી લઈને ઉના હિંસા અને આંબેડકરની પ્રતિમાઓની તોડફોડ જેવી ઘટનાઓ આપણે આ સરકારના કાર્યકાળમાં જોઈ રહ્યા છીએ.

જો કે ભાજપને પોતાના સહયોગી અને દલિત નેતા રામવિલાસ પાસવાન તરફથી ચોક્કસપણે રાહત મળી છે. પાસવને દલિત સંગઠનનું સમર્થન તો કર્યું, સાથે રાહુલ ગાંધી પર પ્રહાર પર કર્યા. આ સિવાય તેમણે પ્રદર્શનને ભડકાવવામાં રાજકીય પાર્ટીઓની ભૂમિકાની પણ ટીકા કરી.

(11:44 am IST)