Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

અર્જુનભાઈ મોઢવાડિયા તથા દિનશા પટેલ ભાજપમાં જોડાય તેવી જોરદાર ચર્ચા

રામદેવભાઈ મોઢવાડિયા કહે છે ભાજપમાં જોડાવવાની વાત પાયાવિહોણી

પોરબંદર, તા. ૩ :. વિરોધ પક્ષના પૂર્વ નેતા તથા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ બન્ને ભાજપમાં જોડાય તેવી જોરદાર ચર્ચા ઉપડી છે.

શહેરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળા સમયે આ ચર્ચા શરૂ થઈ છે. એક ટીવી ચેનલે અર્જુનભાઈ અને દિનશા પટેલ બન્ને ભાજપમાં જોડાય રહ્યાના સમાચાર વહેતા મુકયા છે.

આ બાબતે કોંગ્રેસના પૂર્વ પ્રદેશમંત્રી રામદેવજીભાઈ મોઢવાડિયાનોે સંપર્ક કરતા તેઓએ બન્ને અગ્રણીઓ ભાજપમાં જોડાય રહ્યાની વાત પાયા વિહોણા છે. સત્તાધારી પક્ષ ખોટી અફવા ફેલાવી રહેલ છે.

(3:25 pm IST)