Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

બીજેપીની પરંપરા નહી તૂટે, વંદે માતરમને ટૂંકસમયમાં નવું રૂપ આપીશ :સીએમ કમલનાથ

ભોપાલ :મધ્ય પ્રદેશમાં મંત્રાલયમાં મહિનાની દર પહેલી તારીખે વંદે માતરમ ગીત ગાવવા પર કમલનાથની સરકારે ના પડી દીધી હતી. આ દિવસે મંત્રાલયના દરેક કર્મચારી પાર્કમાં ભેગા થતા હતા અને વંદેમાતરમ ગીત ગાતા હતા.

સીએમ કમલનાથે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે હું વંદે માતરમને નવું રૂપ આપીશ. આ વંદે માતરમનું નવું રૂપ આજ-કાલમાં જ ઘોષિત કરીશ.

સીએમના નિવેદન પરથી લાગી રહ્યું છે કે તેઓ બીજેપીની પરંપરાને બંધ તો નહી કરે પરંતુ તેને નવું રૂપ આપી શકે છે.

(12:00 am IST)