Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

જયાં બે સાધુની ટોળાએ હત્યા કરેલ તે જ પાલઘરમાં ફરાર આરોપીને માંડ બચાવાયો

પાલઘરમાં જ કેમ વારેઘડીએ આવું બને છે?

મુંબઇઃ બે સાધુ અને તેમના ડ્રાઈવરને ટોળાએ જયાં હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા એ પાલઘર વિસ્તારમાં   પોલીસે એક ફરાર આરોપીને લોકોના રોષનો ભોગ બનતો બચાવી લીધો હતો.

અંધેરી એમઆઇડીસીમાં જેની સામે ગુનો નોધાયો હતો એવો એક આરોપી પાલઘરના જંગલમાં રહેતો હતો. ગામડાનાં લોકોની નજરે આ અજાણ્યો શખ્સ પડતા તેમણે ભેગા કરીને મારપીટનો પ્રયાસ કર્યો હતો. સદભાગ્યે સમયસર પોલીસ પહોંચી ગઈ હતી અને ફરાર આરોપી બચાવી લીધો હતો. આ આરોપીને મુંબઇ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

 અહિં જ લોકડાઉન વખતે પાલધરમાં સાધુઓની ટોળાઓએ કરેલી હત્યાનો પડઘો આખા દેશમાં પડયો હતો અને પોલીસ ઉપર માછલા ધોવાયા હતા. આ સામૃહિક હત્યા કેસમાં અનેક લોકાની ધરપકડ  કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી.

(12:54 pm IST)