Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ત્રિપુરા : ૯૦ વર્ષની વૃધ્ધા ઉપર બળાત્કાર

બે નરાધમોનું હેવાનિયતભર્યું કૃત્ય

 અગરતલા,તા.૨: ભારત દેશમાં મહિલાઓ પર અત્યાચારો વધતા કેસો હવે ચિંતાનો વિષય બની ગયા છે, એવામાં ત્રિપુરમાંથી સામે આવેલા કેસ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. અહીં એક ૯૦ વર્ષની વૃદ્ઘ મહિલા પર બે નરાધમો દ્વારા બળાત્કારનો કેસ આખા દેશમાં મહિલાઓની સુરક્ષા કેટલી કડક છે, તેની સાક્ષી પૂરી રહ્યો છે.

આ બનાવ ૨૪ ઓકટોબરે ઉત્ત્।ર ત્રિપુરાના કંચનપુરના બરહલદી ગામમાં બન્યો હતો. પીડિત વૃદ્ઘાના પરિવારે આ અંગેની ફરિયાદ ૨૯ ઓકટોબરે કરી હતી. જીલ્લા પોલીસનું કહેવુ હતું કે વૃદ્ઘા પર બળાત્કાર ગુજારનારા બંને નરાધમ હાલમાં ફરાર છે અને તેમને પકડવા માટે પોલીસ તમામ કાર્યવાહી કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપી પૈકી એક વૃદ્ઘાને દાદી કહેતો હતો. વૃદ્ઘા ઘરમાં એકલા હતા ત્યારે મોડી રાત્રે બંને આરોપીઓ કુકર્મ કર્યુ હતું.

(10:12 am IST)