Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

શિયાળુ સત્રમાં સરકારને ઘેરવા કોંગ્રેસની રણનીતિ સોનિયા ગાંધીએ દિગ્ગ્જ નેતાઓની બેઠક બોલાવી

માત્ર સોશ્યલ મિડિયા પર વાતો કરીને બેસી ન રહો. વાસ્તવિક રાજકારણમાં પણ સક્રિય થાઓ

નવી દિલ્હી:એનડીએ સરકારને શિયાળુ સત્રમાં ઘેરવાની રણનીતિ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી ઘડી રહ્યા છે

  સોનિયાએ પક્ષના પીઢ નેતાઓની એક બેઠક બોલાવી છે. તેમની નિકટનાં સૂત્રોએ કહ્યું કે કોંગ્રેસી નેતાઓ માત્ર સોશ્યલ મિડિયા પર સક્રિય રહે એ પૂરતું નથી. તેમણે નક્કર ભૂમિ પર પણ સક્રિય રહેવું જોઇએ અને સરકારની ભૂલો હોય ત્યાં જાહેરમાં અવાજ ઊઠાવવો જોઇએ એવું સોનિયા ગાંધી માને છે.

  સાતમી નવેંબર સુધીમાં સોનિયા ગાંધી 35 પત્રકાર પરિષદ યોજવાની તૈયારી પણ કરી રહ્યા છે. સાતમી બાદ તમામ ક્ષેત્રે પક્ષ સક્રિય રહે એવી તેમની ઇચ્છા છે. તેમણે યોજેલી બેઠકમાં વિવિધ રાજ્યોના કોંગ્રેસી નેતાઓ, રાષ્ટ્રીય કક્ષાના પીઢ નેતાઓ અને વિવિધ સમિતિના હોદ્દેદારો હાજરી આપશે. સોનિયા અગાઉ પણ એકવાર જાહેરમાં કહી ચૂક્યા છે કે માત્ર સોશ્યલ મિડિયા પર વાતો કરીને બેસી ન રહો. વાસ્તવિક રાજકારણમાં પણ સક્રિય થાઓ.

(1:14 am IST)