Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મહારાષ્ટ્રમાં ૯-૯ દિવસથી પરિસ્થિતિ સતત ગૂંચવાડાભરી

શિવસેનાને મનાવવા ભાજપ છેલ્લે સુધી પ્રયાસો કરશે

મહારાષ્ટ્રમાં હવે શિવસેના જો નહિં માને તો રાષ્ટ્રપતિ શાસનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપના નાણામંત્રીને વરિષ્ઠ નેતા સુધીર મુનગતીવારે કહ્યુ છે કે ૭ નવેમ્બર સુધીમાં સરકાર નહિં રચાય તો રાષ્ટ્રપતિ શાસન આવશે.

પરિણામો જાહેર થયાને ૮ દિવસ વીતી ગયા તો પણ શિવસેના - ભાજપ વચ્ચે સર્જાયેલી મડાગાંઠને લીધે સરકારની રચના થઈ શકી નથી.

દરમિયાન શિવસેનાને મનાવવા માટે ભાજપ પૂરેપૂરી કોશિષ કરી રહેલ છે ત્યારે મંગળવારે ફડણવીસ મુખ્યમંત્રીપદની શપથ લેશે તેવુ ટોચના ભાજપ વર્તુળો જણાવી રહ્યા છે.

(11:43 am IST)