Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

નિર્ભયા કાંડઃ દોષિતોને દયા અરજી કરવા ૭ દિવસની મહેતલ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ૨૦૧૨માં થયેલ નિર્ભયા કાંડ મામલે ચાર દોષીઓને તિહાડ જેલ તંત્રએ રાષ્ટ્રપતિને દયા અરજી કરવા સાત દિવસનો સમય આપ્યો છે. જેલ તંત્રએ જણાવેલ કે ચારેય આરોપીઓએ બધી કાયદાકીય કોશીશો કરી લીધી છે. સજાથી બચવા ફકત દયા અરજી કરવાની બાકી છે. તંત્રએ વધુમાં જણાવેલ કે જો બધા આરોપીઓ તેમ નહિ કરે તો અમે આગળની કાર્યવાહી કરીશું. સુપ્રિમ કોર્ટે મુકેશ, પવન અને વિનયની પુનઃ વિચારની અરજી ફગાવી હતી. ત્રણેયને ફાંસી સજા અપાયેલ.

(11:39 am IST)