Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં લીલા દુષ્કાળની સ્થિતિ

કમોસમી વરસાદના કારણે સૌથી મોટું નુકસાન ધરતી પુત્ર ખેડુતોને થઇ રહ્યું છેઃસૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાનો ભય ખેડુતોને સેવાઇ રહ્યો છે

નવી દિલ્હી, તા.૨: મહા વાવાઝોડાને પગલે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદના કારણે સૌથી મોટું નુકસાન ધરતી પુત્ર ખેડુતોને થઇ રહ્યું છે. જેને કારણે લીલો દુષ્કાળ થવાની સ્થિતિ ઉભી થઇ રહી છે. અત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાનો ભય ખેડુતનોને સેવાઇ રહ્યો છે.

રાજયના કાંઠા સહિત દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લાના ગામોમાં કમોસમી વરસાદથી ડાંગર અને શાકભાજી સાથેના પાકને નુકસાન થતાં ખેડૂતોમાં સરવે અને વળતરની માગ ઉઠી રહી છે.

આ પરિસ્થિતિમાં ખેડૂતોના વ્હારે આવવા સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગરમાં યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજયના સરવેની કાર્યવાહી હાથ ધરવા આદેશ કર્યો છે.જેના વલસાડ જિલ્લામાં પણ ખેતીવાડી વિભાગ દ્વારા સરવે કાર્યવાહી હાથ ધરાતા ખેડૂતોને રાહત મળી છે. ભારે પવનને કારણે આડો પડી ગયેલો ડાંગરનો પાક વરસાદના પાણી ખેતરોમાં કારણે સડવા લાગ્યો છે.

વડોદરા જીલ્લામાં ખેડૂતોને હવે ખેતીના નુકશાન પેટે સરકાર સહાય આપે તેની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. જોકે સરકારી સહાય કેવી રીતે મળશે અને તેને લેવા માટે શું કરવું તે અંગે પણ મોટાભાગના ખેડુતો અજાણ છે. ખેડૂતો આ માહીતી મળેવવા નગરપંચાયત અથવા જીલ્લા પંચાયત ખાતે પહોચતા તેમને અધિકારીઓ દ્વારા માહીતી ન અપાતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

અમારા ગામમાં ૨ હજાર વિદ્યા જમીનમાં તુવેર , ડાંગર અને કપાસના પાકની ખેતી થાય છે. જયારે કમોસમી વરસાદના પગલે ખેતરોમાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ ગયો છે. ખેડુતોએ દવા , ખાતર તેમજ બિયારણનો જે ખર્ચો કર્યો છે તે માથે પડ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા પણ કોઈ સહાય મળી રહી નથી.વડોદરા જીલ્લામાં હાલ કપાસનો વાવેતર વિસ્તાર ૭૯,૬૦૮ હેકટરમાં થયું છે. જયારે બાકીના ૧.૬૭ લાખ હેકટરમાં ડાંગર , તુવેર તેમજ અન્ય પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડુતોને ભારે નુકશાન થયું છે. જેના માટે ખેડુતો હવે સરકાર કોઈ મદદ કરશે તેની રાહ જોઈ રહ્યાં છે .

મહેસાણા જિલ્લામાં બહુચરાજીમાં એક ઇંચ વરસાદ ખાબકયો હતો. ઉપરાંત મહેસાણા, ખેરાલુ, વિજાપુર, વિસનગર, સતલાસણા, ઊંઝા અને જોટાણામાં પણ હળવાં વરસાદી ઝાપટાં થયાં હતાં. આ વરસાદથી કપાસના પાકમાં ૨૦ ટકા સુધી નુકસાન થયું છે. જબહુચરાજી વિસ્તારમાં ૧ ઇંચ વરસાદથી કપાસ, જુવાર, એરંડા સહિતના પાકને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોની પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ સર્જાઇ છે. સર્વે કરી વળતર ચૂકવવા ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

(11:38 am IST)