Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ઉતરપ્રદેશમાં નરભક્ષી મહંતની હત્‍યાઃ પોલીસનો દાવો ૧૩૬ શબ ખાઇ ચુકયો હતો

ઉતરપ્રદેશના મુરાદાબાદમાં એક મહંત અને એમના શિષ્‍યની બેરહમીથી હત્‍યા કરવામાં આવી હતી. દિવાળીની રાત્રે બંનેના શબ સ્‍મશાન ઘાટ પાસેથી મળ્‍યા હતા. પોલીસએ આરોપીની  ધરપકડ કરી છે. હત્‍યાના આરોપી યુવકએ જણાવેલ કે મહંત એક નરભક્ષી હતો અને તે તેની બહેનનું પણ શબ ખાઇ ગયો હતો.

પોલીસના જણાવ્‍યા મુજબ આરોપી યુવકએ જણાવેલ કે જયારે એણે મહંત અને તેના શિષ્‍યને એની બહેનના અડધા બળેલા શબને ખાતા જોયો ગુસ્‍સામાં એમણે બંનેની હત્‍યા કરી નાખી. ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાના રિપોર્ટ મુજબ આરોપીનુ નામ અંકુશ યાદવ છે.

મહંતગીરી અને તેના શિષ્‍યએ લગભગ ૧૩૬ શબોનું માંસ ખાધુ હતુ મહંત તાંત્રીક ક્રિયા કરતા હતા.

(12:00 am IST)