Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ભાજપ બહુમત સાબિત નહિ કરે તો અમે બનાવશું સરકાર : NCP નેતા નવાબ મલિકના નિવેદનથી રાજકીય ગરમાવો

એનસીપી નેતા પ્રફુલ પટેલ બાદ સરકાર બનાવવા નવાબ મલિકે પણ ઉત્સાહ દાખવ્યો

મુંબઈ : રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે કહ્યું કે મહારષ્ટ્રમાં સ્થિર સરકરા બનાવવા ભાજપ શિવસેનાને લોકોએ જનાદેશ આપ્યો છે અમે ઇચ્છીએ છીએ કે બંને મળીને સરકાર બનાવે અને સદનમાં બહુમત સાબિત કરે,જો તેઓ બહુમત સાબિત કરવા સક્ષમ નથી તો અમે નિશ્ચિત રીતે સરકાર બનાવવા કોશિશ કરશું

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે એનસીપી નેતા પ્રફુલ પટેલે પણ આ મુજબ કહ્યું હતું કે અમને વિપક્ષના બેસવા જનાદેશ મળ્યો છે પરંતુ જરૂર પડ્યે અમે સરકાર બનાવવા પ્રયાસ કરશું

(12:00 am IST)