Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

શ્રી સ્વામિનારાયણ મંદિર,નોર્વાક કેલિફોર્નિયા મુકામે 7 નવે.ના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશે :8 નવે.ગુરુવારે બેસતુ વર્ષ તથા 25 નવે રવિવારના રોજ તુલસી વિવાહ ઉત્સવની ઉજવણી કરાશે

કેલિફોર્નિયા :ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ ઓર્ગેનાઇઝેશન (ISSO) શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ,લોસ એન્જલસ,15213 પાયોનિયર blvd.નોર્વાક કેલિફોર્નિયા મુકામે આગામી દિવસોમાં દિવાળી તથા તુલસી વિવાહ ઉત્સવ ઉજવાશે.જે અંતર્ગત દિવાળીના દિવસોમાં 5 નવે.સોમવારના રોજ ધનતેરસ તહેવાર છે.,તથા 6 નવે.મંગળવારના રોજ કાળી ચૌદસ ના દિવસે સાંજે 6 થી 7 વાગ્યા દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ તથા પૂજા થશે.

  7 નવે.બુધવારના રોજ દિવાળી તહેવાર નિમિત્તે ચોપડા પૂજનનો સમય સાંજે 6 થી 7 વાગ્યાનો રહેશે.બાદમાં આરતી તથા દિવાળી ડિનર યોજાશે.8 નવે.ગુરુવારના રોજ સવારે 6 વાગ્યાથી બેસતુ વર્ષ ઉજવાશે.24 નવે.શનિવારના રોજ તુલસી વિવાહ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે વિવાહ મહેંદી મુકાશે.તથા 25 નવે.રવિવારે તુલસી વિવાહ ઉત્સવ ઉજવાશે.જેનો સમય બપોરે 3-30 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:09 pm IST)