Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અમેરિકામાં શ્રી દ્વારકાધિશ મંદિર પાર્લિન ન્યુજર્સી મુકામે ૭ નવેં.૨૦૧૮ બુધવારે દિવાળી ઉત્સવ ઉજવાશેઃ દિવાળીના દિવસોમાં આનંદ બજારનું આયોજનઃ અન્નકૂટ મહોત્સવ ૧૭ નવેં.શનિવારના રોજ

ન્યુજર્સીઃ યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ ટેમ્પલ, ૭૧૭, વોશીંગ્ટન રોડ, પાર્લિન, ન્યુજર્સી મુકામે ૭ નવેં ૨૦૧૮ બુધવારના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશે જે અંતર્ગત મંદિરમાં ચોપડા પૂજનનો સમય બપોરે ૩ વાગ્યાથી ૫ વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યો છે.

૮ નવેં. ગુરૂવારના રોજ નૂતન વર્ષ નિમિતે મંગળા દર્શન સવારે ૭ વાગ્યે થશે. તથા ભાઇબીજ ૯ નવેં. શુક્રવારના રોજ ઉજવાશે.

ત્યાર પહેલા ૩ નવેં. ૨૦૧૮ શનિવારે રમા એકાદશી, ૪ નવે. રવિવારે વાઘબારસ ૫ નવેં. સોમવારે ધનતેરસ ઉજવાશે. આ દિવસે લક્ષ્મીપૂજન મૂર્હુત સવારે ૬ વાગ્યાથી ૭.૩૨ તથા ૯.૪૨ થી ૧૦.૫૦ તથા સાંજે ૫.૫૦ થી ૮.૧૪ રહેશે. ૬ નવેં મંગળવારે રૂપ ચતુર્દશી છે.

રોજ સાંજે ૭ વાગ્યે શયનમાં બંગલામાં દિપમાલીકા દર્શન થશે. દિવાળીના દિવસો દરમિયાન આનંદબજારનું આયોજન કરાયું છે.

અન્નકૂટ મહોત્સવ ૧૭ નવેં. શનિવારના રોજ ઉજવાશે. જે દરમિયાન અન્નકૂટ દર્શન સાંજે ૪ વાગ્યે થશે. મહાપ્રસાદનો સમય સાંજે ૫ વાગ્યે રહેશે. તથા સવારે ૧૧ વાગ્યે ગોવર્ધન પૂજાનું આયોજન કરાયું છે.

વિશેષ માહિતી માટે મંદિરના કોન્ટેક નં.૭૩૨-૨૫૪-૦૦૬૧ દ્વારા અથવા www.dwarkadhishtemple.org દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે તેવું જાણવા મળે છે. 

(9:05 pm IST)