Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ઇમીગ્રન્‍ટસના બાળકોને મળતો જન્‍મજાત નાગરિકત્‍વનો હકક દૂર કરવા તાત્‍કાલિક બંધારણ સુધારવું જરૂરી નથીઃ વટહુકમ દ્વારા અમલ કરાવાશેઃ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ

વોશીંગ્‍ટનઃ અમેરિકાનું નાગરિકત્‍વ ન મળ્‍યુ હોય તેવા ઇમીગ્રન્‍ટસના બાળકોને પણ મળતો જન્‍મજાત નાગરિકત્‍વનો હકક દૂર કરવા માટે તાત્‍કાલિક કાયદો સુધારવાની જરૂર નથી આ બાબત એટલી બધી મહત્‍વની છે કે વટહુકમ દ્વારા તુરંત તેનો અમલ કરાવી દેવો જરૂરી છે. તેવું અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ તાજેતરમાં જણાવ્‍યું છે.

ઉલ્લેખનીય છે કે આ બાબત ૬ નવેં.ના રોજ યોજાનારી વચગાળાની ચૂંટણીઓ ઉપર અસર કરશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:16 pm IST)