Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

જ્યાં સુધી પછાતનો વિકાસ નહિં ત્યાં સુધી સમાજ, રાજ્ય અને દેશનો વિકાસ થતો નથીઃ નીતિશ કુમાર

અનામતની જોગવાઈઓને સમાપ્ત કરવાની કોઈનામાં તાકાત નથી

નવી દિલ્હી :બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મગધ વિભાગીય દલિત અને મહાદલિત કાર્યકર્તા સંમેલનમાં કહ્યું કે, આ દેશમાં એસસી એસટી અનામતની જોગવાઈઓને સમાપ્ત કરવાની કોઈનામાં તાકાત નથી

 . બિહારમાં ભાજપના સાથી પક્ષના નીતીશકુમારે કહ્યુ કે અનામત નહી મળે તો પછાત લોકો મુખ્ય ધારામાં કેવી રીતે આવશે. જ્યાં સુધી પછાતનો વિકાસ નહિં થાય ત્યાં સુધી સમાજ, રાજ્ય અને દેશનો વિકાસ થઈ શકતો નથી.  

(12:00 am IST)