Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

જીએમડીસી ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માતાજીની આરાધના કરી આરતી ઉતારી

લાડીલા ગાયક કિર્તીદાન ગઢવીએ સ્વચ્છતાનો ગરબો રજૂ કર્યો જેમાં ખેલૈયાઓ ગરબે જૂમ્યા

 

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોને સંબોધન આપ્યા બાદ જીએમડીસી ખાતે યોજાતી વાયબ્રન્ટ નવરાત્રીમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જીએમડીસી ખાતે આયોજીત ગરબામાં પહોંચ્યા હતા. અને માં અંબાના આરાધના કરીને આરતી ઉતારી હતી. ત્યાર બાદ લોક લાડીલા ગાયક કિર્તીદાન ગઢવીએ સ્વચ્છતાનો ગરબો રજૂ કર્યો હતો. જેમાં ખેલૈયાઓ ગરબે જૂમ્યા હતા.

જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીને આવકારવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી સહિત મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. મનપા મેયર સહિત પ્રદેશ ભાજપ અને શહેર ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આરતી ઉતારયા બાદ પીએમ મોદી મેદાનમાં ગરબા પણ નિહાળ્યા હતા

(12:25 am IST)