Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ભાજપ હનીટ્રેપવાળાને આપે છે ટિકિટ : દિગ્વિજયસિંહે કર્યો ધડાકો

કેન્દ્ર સરકાર ગાંધીજીના મૂલ્યો ભૂલી છે : સોશિયલ મીડિયા દ્વારા મહાત્મા ગાંધીને બદનામ અને નાથુરામ ગોડસેનો મહિમામંડિત કરે છે

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજયસિંહે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યા હતા . તેમણે ઈંદોરમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ જણાવ્યુ હતુ કે, સોશિયલ મીડિયા દ્વારા મહાત્મા ગાંધીને બદનામ અને નાથુરામ ગોડસેનો મહિમામંડિત કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર ગાંધીના મૂલ્યને ભૂલી છે.

તેમણે વધુમાં કહ્યુ કે, ભાજપના નેતાઓ હની ટ્રેપમાં સામેલ છે. મહારાષ્ટ્રમાં ભાજપે નિલંગેકને ફરીવાર ટિકિટ આપી છે. અને ભાજપ હંમેશા આવા નેતાઓને ટિકિટ આપે છે. મહત્વપૂર્ણ છે કે, એમપીમાં હનીટ્રેપ મામલે દિગ્વિજયસિંહે પૂર્વની ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા છે. જેથી ભાજપ પણ કોંગ્રેસનો વિરોધ કરી રહી છે

(12:14 pm IST)