Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

વૈષ્ણોદેવી મંદિરે દર્શન કરવા ગયેલ સિદ્ધુનો વિરોધ : શિવસેના કાર્યકરોએ નારેબાજી કરી

મંદિરમાં સિદ્ધુને વીઆઈપી ટ્રીટમેન્ટ કેમ ? ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી : વૈષ્ણોદૈવી ખાતે દર્શન કરવા ગયેલાં કોંગ્રેસ નેતા સિદ્ધુને ભારે વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે. શિવસેનાના કાર્યકરોએ સિદ્ધુની વિરુદ્ધમાં નારેબાજી કરીને વિરોધ કર્યો હતો. વિરોધ કરતાં તેઓએ કહ્યું કે વૈષ્ણોદૈવી મંદિરમાં સિદ્ધુને કેમ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. પાકિસ્તાન સાથે સિદ્ધુનું નામ જોડીને પણ વિરોધ સાથે નારેબાજી કરવામાં આવી હતી.

ખાલિસ્તાની ઉગ્રવાદી અને હાફિજ સૈયદના નજીકના ગોપાલસિંહ ચાવલાની સાથે સિદ્ધુએ સોશિયલ મીડિયામાં એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ બાદ પાકિસ્તાન યાત્રા દરમિયાન સિદ્ધુ વિવાદમાં આવી ગયા હતા. તેઓના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો.

પાકિસ્તાનની મુલાકાતને લઈને પંજાબમાં ભારે વિરોધ થયો હતો. ચૂંટણીમાં સારું પ્રદર્શન કોંગ્રેસ ના કરી શકી તે માટે પણ સિદ્ધુને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા.

(12:00 am IST)