Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ઈસરોમાં વૈજ્ઞાનિક એસ.સુરેશની ઘરમાં ધુસીને અજાણ્યા શખ્સો દ્વારા હત્યા: ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા

 

હૈદરાબાદના અસ્સાર નગરમાં એક વૈજ્ઞાનિકની હત્યા કરવામાં આવી છે. ઈસરોના વૈજ્ઞાનિક સુરેશની હત્યા કરી દેવાઈ છે. અજાણ્યા લોકો દ્વારા એસ.સુરેશની હત્યા અમીરપેટ વિસ્તારમાં તેના ઘરમાં ઘૂસીને કરી છે. હત્યા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. જો કે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

કેરળના નિવાસી સુરેશ પોતાના ઘરમાં એકલા હતા. અને પોતાની ઓફિસમાં પણ સૂચના આપી નહોતી. જેને લઈ ઓફિસના કર્મચારીઓ દ્વારા એસ.સુરેશને વારંવાર ફોન કરાયો હતો. જો કે ફોનનો જવાબ મળતા કર્મચારીઓ દ્વારા તેમની પત્નીને સતર્ક કરાયા હતા. જે ચેન્નઈની એક બેંકમાં કર્મચારી છે. પોલીસને એવી આશંકા છે કે, કોઈ ભારે પદાર્થથી હત્યા કરાઈ છે. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.

(8:40 am IST)