Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

કેરળમાં કોરોનાનો કહેર યથાવત: દેશમાં નવા 45.618 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 34.656 દર્દીઓ રિકવર થયા : વધુ 355 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.39.916 થયો :એક્ટીવ કેસ 3.93.534 થયા : કુલ કેસની સંખ્યા 3.29.02.339 થઇ

સૌથી વધુ કેરળમાં 32.097 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4342 કેસ, તામિલનાડુમાં 1562 કેસ, આંધ્રપ્રદેશમાં 1378 કેસ,કર્ણાટકમાં 1240 કેસ,મિઝોરમમાં 1111 કેસ, ઓરિસ્સામાં 754 કેસ,આસામમાં 554 કેસ, પશ્ચિમ બંગાળમાં 695 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 45.618 કેસ નોંધાયા છે. જ્યારે 34.656 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 45.618 નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 355 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.39.916 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 45.618 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.29.02.339 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.93.534 થઇ છે છેલ્લા 24 કલાકમાં 34.656 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.20.56.076 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી વધુ કેરળમાં 32.097 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4342 કેસ, તામિલનાડુમાં 1562 કેસ, આંધ્રપ્રદેશમાં 1378 કેસ,કર્ણાટકમાં 1240 કેસ,મિઝોરમમાં 1111 કેસ, ઓરિસ્સામાં 754 કેસ,આસામમાં 554 કેસ, પશ્ચિમ બંગાળમાં 695 કેસ નોંધાયા છે

(1:09 am IST)