Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

કાશ્મીર ઘાટીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ

અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીની નિધન બાદ અફવા ફેલાતી રોકવા નિર્ણય

જમ્મુ -કાશ્મીરમાં ત્રણ દાયકાથી વધુ સમયથી અલગાવવાદી અભિયાનનું નેતૃત્વ કરનાર સૈયદ અલી શાહ ગિલાનીના મોત બાદ સુરક્ષા દળો પણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તકેદારીના ભાગરૂપે કાશ્મીર ઘાટીમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જે અંતર્ગત ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની અફવા ફેલાતી અટકાવી શકાય

(12:23 pm IST)